દિયોદર ગજાનંદ ગૌ શાળા માં ઘાસચારો ઉતારવા આવેલ ટ્રક માં આગ લાગતા દોડધામ

હિંદન્યૂજહ, દિયોદર

દિયોદર ગજાનંદ ગૌ શાળા માં આજે એકાએક ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રક ના આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં સ્થાનિક લોકો અને ગ્રામ પંચાયત ની ટિમ દ્વારા પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. શનિવાર ના પૂનમ ના દિવસે ગજાનંદ ગૌ શાળા માં ગાયો માટે એક ટ્રક ઘાસચારો ઉતારવા માટે આવી હતી. જેમાં એકાએક ટ્રક ના અગમ્ય કારણસર આગ લાગતા આજુ બાજુ વિસ્તાર માં દોડધામ મચી જવા પામી હતી. જેમાં સ્થાનિક લોકો તાત્કાલિક દિયોદર ગ્રામ પંચાયત ને જાણ કરતા ગ્રામ પંચાયત ની ટિમ સ્થળ પર પોહચી એકાએક પાણી નો મારો ચલાવતા આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ લાગવાથી ઘાસચારો બળી ને ખાખ થઈ ગયો હતો અને ટ્રક ને ભારે નુકશાન આવ્યું હતું. બનાવ ના પગલે ગૌ પ્રેમીઓ ગૌ શાળા ખાતે દોડી આવ્યા હતા અને પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment